नमस्कार 🙏 हमारे न्यूज पोर्टल - मे आपका स्वागत हैं ,यहाँ आपको हमेशा ताजा खबरों से रूबरू कराया जाएगा , खबर ओर विज्ञापन के लिए संपर्क करे 9974940324 8955950335 ,हमारे यूट्यूब चैनल को सबस्क्राइब करें, साथ मे हमारे फेसबुक को लाइक जरूर करें , નિલગીરીમાં વિકસિત ભારત યાત્રા શરૂ કરાવતા ધારાસભ્ય સંગીતાબેન પાટીલ* – भारत दर्पण लाइव

નિલગીરીમાં વિકસિત ભારત યાત્રા શરૂ કરાવતા ધારાસભ્ય સંગીતાબેન પાટીલ*

😊 कृपया इस न्यूज को शेयर करें😊

નિલગીરીમાં વિકસિત ભારત યાત્રા શરૂ કરાવતા ધારાસભ્ય સંગીતાબેન પાટીલ*
સુરત, તા ૨ ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે ભારત સરકાર ઘૂવારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આજરોજ લિંબાયત ઝોન વિસ્તારમાં ટી.પી.૪૦, નીલગીરી ગ્રાઉન્ડ, નીલગીરી સર્કલ,લીંબાયત ખાતે આયોજન કરવામાં આવેલ જેનો માં.ધારાસભ્ય સંગીતા બેન પાટીલ ના વરદ હસ્તે સુભારંભ કરવા મા આવેલ
સદર કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોનું કંકુ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ તથા શાળાની બાળાઓ કુવારા કૃતિઓ રજુ કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભવો ઘૂવારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા માન.મ્યુ.સદસ્ય શ્રી વિક્રમભાઈ પાટીલે જણાવ્યું હતું કે, જનહિત લક્ષી યોજનાના લાભઘર ઘર સુધી મળે તે માટે વિકસિત
ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવેલ છે અને તમામ ગ્રામ્ય વિસ્તાર સુધી આ રથ પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પ્રસંગે માન.ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે તેમના પ્રવચનમાં જણાવ્યું કે, છેવાડાના માનવી સુધી જનહિતલક્ષી યોજના પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સતત અવિરત કાર્ય કરી રહયા છે. તેમણે વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી અને તેનો લાભ લેવા માટે નાગરિકોને અપીલ કરી. બેટી બચાવો, બેટી પઢાવો યોજના ઘૂવારા આજે ભારત દેશમાં દિકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી છે. મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાનું નામ અંકિત કર્યું છે. વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત દેશ આગળ વધી રહ્યું છે.આમ બાળાઓને શિક્ષિત કરવા માટે અપીલ કરી હતી.
આજરોજ સાંજે ૦૪:૩૦ કલાકે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં શ્રી દામોદર બોટાદકર પ્રાથમિક શાળા નંબર ૨૩૫, ૨૩૬, ૨૪૩, ૨૪૫, શિવાજી નગર, લિંબાયત ખાતે માન.સ્થાનિક મ્યુ.સદસ્યશ્રીના વરદ્દહસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા માન.મ્યુ.સદસ્ય શ્રી ભૂષણભાઈ પાટીલે જણાવ્યું કે, સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન સમગ્ર ભારત દેશમાં કરવામાં આવેલ છે તેનો બધા લાભ મેળવે તેવો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ પ્રસંગે માન. મ્યુ.સદસ્ય શ્રી વિક્રમભાઈ પાટીલે તેમના પ્રવચનમાં જણાવ્યું કે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને છેવાડાના માનવી સુધી કેવી રીતે આ યોજનાઓ પહોંચાડી શકાય તેની ચિંતા થતી હતી એટલે તેમણે વિકસિત ભારત સંકલ યાત્રાનું આયોજન કર્યું છે. ભારત દેશમાં કોઈ પણ નાગરિક સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સતત કાર્યશીલ રહે છે. ભારતના દરેક વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતાના કાર્યક્રમો કરી ભારતને સ્વચ્છ બનાવાયું છે.

Whatsapp बटन दबा कर इस न्यूज को शेयर जरूर करें 

Advertising Space


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे.

Donate Now

लाइव कैलेंडर

July 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031